
રોન્ડા બર્ન દ્વારા લખાયેલ
'ચમત્કાર' (ધ મેજિક)
પુસ્તક વાંચી તેનો અમલ કરીને કૃતજ્ઞતાની પ્રેકટીસની અદ્ભુત યાત્રામાં જોડાવવા માટેનું આમંત્રણ
(દરેક ઉંમર ની વ્યક્તિ માટે)
- દર મહિનાના પ્રથમ દિવસથી શરૂ થશે (મહિનાનાં કોઈપણ દિવસથી જોડાઈ શકાય છે!)
- દરરોજ બપોરે ૩:00 થી ૪:00 વાગ્યે (ભારતીય સમય પ્રમાણે)
- વિના મુલ્યે (ફ્રી)
- ઓનલાઇન (ZOOM & YouTube)
કૃતજ્ઞતાના ગુણને વિકસાવવાથી જીવનની કોઈપણ પરિસ્થિતીમાં આનંદમાં રહી શકાય છે, સ્વાસ્થ્ય સુધરે છે, હતાશા, ઉદાસી જેવી મુશ્કેલીઓ દુર થાય છે તેમજ દરેક સંબંધો પણ મજબૂત બને છે.
કૃતજ્ઞતા (આભાર માનવો) એ એક એવો ગુણ છે, જેના થકી એ અહેસાસ થાય છે કે, ખરેખર આપણી પાસે જે છે એ જ કેટલું બધું છે જેના માટે આપણે હ્રદયપુર્વક આભાર માનીએ. આ એક માત્ર ગુણ થકી જીવન જીવવાનો એક અલગ દૃષ્ટિકોણ મળે છે જે કોઈ પણ પરિસ્થિતિમાં ખુશ રહેવામાં મદદ કરે છે.
વિના મૂલ્યે આ વર્કશોપ માં જોડાઈને કૃતજ્ઞતા વિશે જાણી, તે વિશે ઊંડાણથી સમજી જીવનમાં આ ગુણનો કઈ રીતે અમલ કરવો તે શીખીને જીવન બદલનારા રહસ્યો ને ઉજાગર કરવા CFL આપને ભલામણ કરે છે.
‘ચમત્કાર’ (ધ મેજિક) વર્કશોપ માં જોડાવા માટે ના ફાયદા...
- કૃતજ્ઞતા ને સમજી, રોજિંદા જીવનમાં એનો અભ્યાસ
- જીવનમાં જે કંઈ પણ મળ્યું છે તેનો અહેસાસ
- સ્વાસ્થ્યમાં સુધારો
- પૈસા ના ક્ષેત્ર માં પરિવર્તન
- પરિવારના સભ્યો સાથેના સંબંધો વધુ પ્રેમાળ અને ઘનિષ્ઠ
- ગુસ્સો, ડર, અને ચિંતા જેવા નકારાત્મક ભાવો થી ઘણે અંશે મુક્તિ
- ખુશીઓથી ભરપૂર અને સંતુષ્ટ જીવન
- જીવનના દરેક પાસાને અદ્ભુત રીતે બદલવાનો મોકો